સનાતન ધર્મ યાત્રાનું હળવદમાં ભવ્ય સ્વાગત

- text


સનાતન ધર્મ અંગે જાગૃતતા લાવવાના ઉદ્દેશ સાથે દ્વારિકાથી પોરબંદર સુધી આયોજિત યાત્રા સમગ્ર નગરમાં ફરી

હળવદ : દ્વારિકાથી પોરબંદર સુધી સનાતન ધર્મ યાત્રાનું ભવ્યાતિભવ્ય આયોજન થયું હોઈ ત્યારે આ યાત્રા છોટાકાશી તરીકે પ્રખ્યાત એવા હળવદ નગરમાં આવી પહોંચી હતી. આ યાત્રા પૂ. મહામંડલેશ્વર કૃષ્ણાનંદપૂરી મહારાજજીના અધ્યક્ષ સ્થાને નીકળી હોઈ આ યાત્રા સનાતન સંસ્કૃતિની મહીમા જન જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ સાથે દ્વારિકાધીશની નગરીથી નીકળી અને પૂરા સૌરાષ્ટ્ર કચ્છમાં પરિભ્રમણ કરી પોરબંદર ખાતે સમાપન થશે.

આજરોજ આ યાત્રાનું હળવદ ખાતે ધર્મેપ્રેમી લોકો દ્વારા ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ યાત્રા મોરબી માળિયા ચોકડી થઈ અને મોરબી દરવાજા થઈ મુખ્ય બજારમાં થઈને સરા નાકા થઈને વૈજનાથ ચોકડી ખાતે વિરામ પામી હતી. આ યાત્રામાં મોટી સંખ્યામાં પૂજ્ય સાધુ સંતો જોડાયા હતા. ત્યારે હળવદની મુખ્ય બજારોમાં સર્વે વેપારીઓ દ્વારા પુષ્પ વૃષ્ટિથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારે યાત્રામાં જોડાયેલ પૂજ્ય સાધુ સંતોના ભોજન પ્રસાદની વ્યવસ્થા પરમેશ્વર આર્કેડ ખાતે કરવામાં આવી હતી. ત્યાર બાદ આ યાત્રાનું મોરબી તરફ જવા માટે પ્રસ્થાન થયું હતું. આ યાત્રાને સફળ બનાવવા હળવદના ધર્મપ્રેમી યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી.

- text

- text