નવરાત્રિના 9 દિવસમાં રાજ્યમાં હાર્ટ એટેકના 766 કેસ

- text


હાર્ટ એટેકના સૌથી વધુ કેસ અમદાવાદ જિલ્લામાં નોધાયા : મોરબીમાં 4 કેસ 

મોરબી : સમગ્ર રાજ્યમાં હાર્ટએટેકે હાહાકાર મચાવ્યો છે ત્યારે રાજ્યમાં નવરાત્રી પર્વ દરમિયાન યુવાનોમાં હાર્ટ એટેક આવવાની ઘટનાઓ વધી હોવાનું સામે આવ્યું છે. નવરાત્રી દરમિયાન 10 કરતાં વધુ યુવાનો ગરબા રમતા રમતા હાર્ટ એટેકને લીધે મૃત્યુ પામ્યા હતા. આ ઉપરાંત રાજ્યમાં નવરાત્રીના નવ દિવસમાં સાંજના 6 વાગ્યાથી સવારના 2 વાગ્યા સુધીમાં હાર્ટ એટકને 800 જેટલા કેસ નોધાયા છે. આમ યુવાનોમાં હાર્ટ એટેકની બિમારીનું પ્રમાણ વધી રહ્યુ છે જે ચિંતા ઉપજાવે તેવી બાબત છે.

જાગરણ ગુજરાતીના અહેવાલ મુજબ રાજ્યમાં નવરાત્રી દરમિયાન હાર્ટ એટેકની સૌથી વધુ કેસ અમદાવાદ શહેરમાં નોધાયા હતા. અમદાવાદ શહેરમાં હાર્ટ એટેક , બ્લડ પ્રેસર સહિતના 201 કેસ નોધાયા હતા. ગાધીનગરમાં 17, જામનગરમાં 44, જૂનાગઢમાં 24, ભાવનગરમાં 29, રાજકોટમાં 62, સુરતમાં 68, વડોદરામાં 39 કેસ અને મોરબી જિલ્લામાં 4 કેસ નવરાત્રી દરમિયાના સાંજે 6 થી 2 વાગ્ય સુધીમાં નોધાયા હતા. રાજયમાં નવરાત્રી દરમિયાના હાર્ટને લગતી બિમારીમાં સરેરાશ દરરોજ 85 જેટલા કેસ નોધાતા હતા. રાજ્યની ઇમરજન્સી સેવા એવી 108 દ્વારા આ માહિતી જાહેર કરવામાં આવી છે.

- text

યુવાનોમાં હાર્ટ એટેક આવવાના કારણોમાં શરીર પ્રત્યેની બેદરકારી, કામનું ભારણ, માનસિક તણાવ, ભોતિક સુવિધાઓ પાછળ દોડધામ, અનિયમિત ખોરાક, પૂરતી ઊઘ ન લેવી, નિયમિત શરીરનું ચેકઅપ ન કરાવવું, જેના કારણે બ્લડ પ્રેસર, શુગર અને હદયની લગતી બિમારીનું પ્રમાણ વધી રહ્યુ છે. નવરાત્રી દરમિયાન ગરબામાં શરીરને વધુ પ્રમાણમાં ડ્રેસ પડે છે જેના કારણે બ્લડ પ્રેસરનું પ્રમાણ વધે છે. રાજ્યમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં અમદાવાદમાં હાર્ટ એટેકની ઘટનાઓ વધુ પ્રકાશમાં આવી છે.

નવરાત્રી દરમિયાન રાજ્યમાં હાર્ટ એટેકના કિસ્સા

પ્રથમ નોરતુંઃ 73

બીજુ નોરતુંઃ 92

ત્રીજુ નોરતુંઃ 69

ચોથુ નોરતુંઃ 109

પાંચમુ નોરતુંઃ 102

છઠ્ઠુ નોરતુંઃ 76

સાતમુ નોરતુંઃ 70

આઠમુ નોરતુંઃ 82

નવમુ નોરતુંઃ 93

- text