રક્તદાન સાથે દેહદાન સંકલ્પ ! ટંકારામા ઓ.આર. પટેલની પુણ્યતિથિ નિમિત્તે મહા રક્તદાન કેમ્પ યોજાય

- text


ટંકારા ખાતે હોમ હવન સાથે સામાજિક અગ્રણી વલમજી રાજપરા અને મહાદેવભાઈ દેસાઈએ દેહદાનનો સંકલ્પ કર્યો

ટંકારા : પાટીદાર સમાજના ભામાશા ઓ.આર.પટેલની સ્વર્ગસ્થ થયાની અગિયારમી પૂણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પનું સંકટ નિવારણ એજ્યુકેશન ટ્રસ્ટ- ટંકારા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તમામ સમાજના ભાઈઓ-બહેનોએ મોટી સંખ્યામાં રક્તદાન કરી ઓ.આર.પટેલને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. સાથે સાથે જ દેહદાનના પણ સંકલ્પ લેવાયા હતા.

- text

ટંકારા ખાતે આયોજિત મહા રક્તદાન કેમ્પમાં ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, સાંસદ મોહનભાઈ કુંડારીયા, પૂર્વ ધારાસભ્ય બાવનજીભાઈ મેતલીયા, બિન અનામત આયોગના પૂર્વ ચેરમેન બી.એચ.ઘોડાસરા, જેરામભાઈ વાંસજાળીયા, સામાજિક અગ્રણી ગોવિંદભાઈ વરમોરા, પોપટભાઈ કગથરા, વલમજીભાઈ રાજપરા, મહાદેવભાઈ દેસાઈ, પંચાણભાઈ ભૂત, હીરાભાઈ ફેફર, ધનજીભાઈ ઝાલરીયા, લિંબાભાઈ મસોત, ડાયાલાલ બારૈયા, દીપકભાઈ સુરાણી વગેરેની ઉપસ્થિતમાં ખુબજ બહોળી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું હતું. સામાજિક અગ્રણી એવા વલમજીભાઈ રાજપરા અને મહાદેવભાઈ દેસાઈએ દેહદાનનો સંકલ્પ કરી ઓ.આર.પટેલને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

- text