મોરબીની એમપી શેઠ ગર્લ્સ સ્કૂલમાં કારકિર્દી માર્ગદર્શક સેમિનાર યોજાયો

- text


મોરબી : મોરબીની એમપી શેઠ ગર્લ્સ સ્કૂલમાં ગઈકાલે તારીખ 17 ઓક્ટોબર ને મંગળવારના રોજ મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા કારકિર્દી માર્ગદર્શન આપતા શૈક્ષણિક સેમિનારનું આયોજન કરાયું હતું.

મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા એમપી શેઠ ગર્લ્સ સ્કૂલ ખાતે ધોરણ 9, 10, 11 અને 12ની વિદ્યાર્થિનીઓ માટે શૈક્ષણિક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થિનીઓને ભવિષ્યમાં તેઓની કારકિર્દી પસંદગી માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સેમિનારમાં દર્શન યુનિવર્સિટીના 4 પ્રોફેસર ડો. ધવલ વ્યાસ, પ્રોફેસર ભાવિનભાઈ વેગડા, પ્રોફેસર ઉમેશભાઈ ઠોરિયા અને પ્રોફેસર સાગરભાઈ કાંજીયાએ તમામ વિદ્યાર્થિનીઓને પ્રોજેક્ટર દ્વારા કારકિર્દીના તમામ અભ્યાસક્રમો વિશે માહિતી પૂરી પાડી હતી. આ કાર્યક્રમ બદલ મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા એમ.પી શેઠ ગર્લ્સ સ્કૂલનો આભાર વ્યક્ત કરાયો હતો અને મુસ્કાન વેલ્ફેર સોસાયટીના સભ્યોનો પણ આભાર વ્યક્ત કરાયો હતો.

- text

- text