મોરબીના જેપુર ગામ નજીક રીક્ષા અને કાર વચ્ચે અકસ્માત, 6 ઘાયલ

- text


મોરબીથી ઝીઝુડા ગામે આવેલી દરગાહે દર્શન કરવા જતી વખતે અકસ્માત નડ્યો 

મોરબી : મોરબીના જેપુર ગામ પાસે કાર અને રીક્ષા વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં છ લોકો ઘાયલ થયા હતા. આ તમામને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે. જો કે, મોરબીથી ઝીઝુડામાં આવેલી દરગાહે દર્શન કરવા જતી વખતે અકસ્માત નડ્યો હતો.

આ અકસ્માતના બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના મકરાણીવાસ અને કબીર ટેકરી પાસે રહેતા કેટલાક લોકો રિક્ષામાં બેસીને આજે મોરબીથી ઝીઝુડામાં આવેલી દરગાહે દર્શન કરવા જઈ રહ્યા હતા. ત્યારે મોરબીના જેપુર ગામ પાસે આવેલ ત્રીમંદિર નજીક પહોંચાતા પુરપાટ ઝડપે આવતી કારે રીક્ષાને ટક્કર મારતા અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં રિક્ષામાં બેઠેલા છ જેટલા લોકોને ઇજા પહોંચી હતી. જેમાં મેજબીન યાશીનભાઈ અજમેરી (16) રહે મકરાણીવાસ, મુસ્તાકીન યાશીનભાઈ અજમેરી (15) રહે મકરાણીવાસ, મોહિતભાઈ મુસ્તાકભાઈ અજમેરી (25) રહે કબીર ટેકરી, શેરબાનું યુસુફભાઈ અજમેરી (18) રહે કબીર ટેકરી, રેહાન આરીફ અજમેરી (10) રહે કબીર ટેકરી, આરજુ અજમલ અજમેરી (17) રહે કબીર ટેકરીને ઇજા થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે.

- text

- text