મોરબીનો મચ્છુ-3 ડેમ 90 ટકા છલોછલ, ગમે ત્યારે પાણી છોડાશે 

- text


મચ્છુ-3 ડેમના હેઠવાસમાં આવતા 10 ગામના લોકોને નદીના પટ્ટમાં અવરજવર નહીં કરવા તાકીદ 

મોરબી : છેલ્લા બે દિવસથી પડી રહેલા સતત વરસાદને કારણે મોરબી નજીક આવેલ મચ્છુ-3 ડેમમાં પાણીની ધીંગી આવક ચાલુ રહેતા હાલમાં ડેમ 90 ટકા છલોછલ ભરાઈ ગયો હોય ગમે ત્યારે ડેમમાંથી પાણી છોડવામાં આવનાર હોવાથી મચ્છુ-3 ડેમ હૅઠવાસમાં આવતા 10 ગામોને નદીના પટ્ટમાં અવરજવર નહીં કરવા ચેતવણી આપવામાં આવી છે.

- text

સિંચાઈ વિભાગની સત્તાવાર યાદી મુજબ મોરબી નજીક આવેલ મચ્છુ-3 ડેમમાં વરસાદને પગલે સતત 665 ક્યુસેક પાણીની આવક ચાલુ હોય હાલમાં મચ્છુ-3 ડેમ 90 ટકા ભરાઈ ગયો છે, જેથી રુલ લેવલ જાળવવા માટે ગમે ત્યારે ડેમમાંથી પાણી છોડવું પડે તેમ હોવાથી મચ્છુ-3 ડેમના હેઠવાસમાં આવતા વનાળીયા, ગોરખીજડીયા,સાદુળકા, માનસર, રવાપર(નદી), અમરનગર, ગુંગણ, નાગડાવાસ, બહાદુરગઢ, સોખડા, દેરાળા, મહેન્દ્રગઢ, મેઘપર,નવાગામ,રાસંગપર, વિરવિદરકા,ફતેપર, માળીયા અને હરિપરના લોકોને નદીના પટ્ટમાં અવરજવર નહીં કરવા ચેતવણી આપવામાં આવી છે.

- text