હળવદના ધુળકોટમાં આમઆદમી પાર્ટી દ્વારા ખેડુતો સાથે બેઠક યોજાઈ 

- text


સરકારની કૃષિ વિરોધી નીતિથી ખેડૂતો બરબાદ બન્યા : રાજુભાઈ કરપડા

હળવદ : હળવદ તાલુકાના ધુળકોટ ગામે આજે આમ આદમી પાર્ટીના કિસાન પ્રદેશ પ્રમુખની આગેવાનીમાં ખેડૂતોની બેઠક યોજાઇ હતી જેમાં આપના નેતા દ્વારા રાજ્યની અને કેન્દ્રની સરકાર પર તીખા પ્રહારો કર્યા હતા.

ધુળકોટ ગામે “આપ”ના પ્રદેશ કિસાન પ્રમુખ રાજુભાઈ કરપડાની આગેવાનીમાં યોજાયેલ ખેડૂત બેઠકમાં વિવિધ ખેડૂતોના પ્રશ્નોને લઇ ચર્ચાઓ કરવામાં આવી હતી સાથે જ રાજુભાઈએ જણાવ્યું હતું કે રાજ્યની અને કેન્દ્રની સરકારની કૃષિ વિરોધી નીતિથી ખેડૂતો બરબાદ બન્યા છે સાથે જ કેટલા ગામોમાં કેનાલનું પાણી આજે પણ નથી મળતું જે વહેલી તકે આપવામાં આવે તેવી માંગ કરી હતી.

- text

- text