માળીયા પાલિકાના નિરીક્ષક તરીકે પૂર્વ ધારાસભ્ય પીરઝાદાને જવાબદારી આપતી કોંગ્રેસ

- text


માળીયા (મિ.): કોંગ્રેસ શાસિત તાલુકા પંચાયત અને નગરપાલિકાઓમાં પ્રમુખ-ઉપપ્રમુખની અઢી વર્ષની મુદત પૂર્ણ થઈ રહી હોય નવા ચહેરાઓની પસંદગી માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી રહી છે. ત્યારે માળીયા નગરપાલિકાના નિરીક્ષક તરીકે વાંકાનેરના પૂર્વ ધારાસભ્ય મહંમદ જાવીદ પીરઝાદાને જવાબદારી સોંપવામાં આવી છે.

માળીયા નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન હોય અઢી વર્ષની મુદત પૂર્ણ થતા પ્રમુખ અને ઉપપ્રમુખના નવા નામોની પસંદગી કરવામાં આવનાર છે. ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદ શક્તિસિંહ ગોહિલે વરિષ્ઠ આગેવાનોને નિરીક્ષક તરીકેની જવાબદારીઓ સોંપી છે. ત્યારે માળીયા નગરપાલિકામાં પણ પ્રમુખ અને ઉપપ્રમુખની પસંદગી માટે નિરીક્ષક તરીકે પૂર્વ ધારાસભ્ય મહંમદ જાવીદ પીરઝાદાને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. જિલ્લાના સંગઠન સાથે પરામર્શ કરીને આ નિરક્ષકો પ્રમુખ અને ઉપપ્રમુખના નવા નામની પસંદગી કરશે.

- text

કોંગ્રેસ શાસિત તાલુકા પંચાયત – નગરપાલિકામાં પ્રમુખ-ઉપપ્રમુખની અઢી વર્ષની મુદત પૂર્ણ થતા નવા પ્રમુખ-ઉપપ્રમુખ નામોની પસંદગી માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદશ્રી શક્તિસિંહ ગોહિલે વરિષ્ઠ આગેવાનને નિરીક્ષકશ્રી તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. તાલુકા પંચાયત – નગરપાલિકામાં નિયુક્ત નિરીક્ષકશ્રીઓ ચૂંટાયેલા સચિવો અને જે તે જીલ્લાના સંગઠન સાથે પરામર્શ કરીને આખરી નિર્ણય કરશે.

માળીયા નગરપાલિકા (જી. મોરબી) ના નિરીક્ષક તરીકે શ્રી મોહંમદ જાવેદ પીરઝાદા (પુર્વ ધારાસભ્ય – વાંકાનેર) ને જવાબદારી સોંપવામાં આવી છે.

- text