હે ઈશ્વર ચંદ્રયાન-3નું લેન્ડિંગ સફળ બનાવજો : મોરબીમાં પ્રાર્થના 

- text


મોરબીની માધાપરવાડી શાળાની બાળાઓએ ચન્દ્રયાન-3 ના સફળ લેન્ડિંગ માટે પ્રાર્થના કરી 

મોરબી : ભારતીય અવકાશ વિજ્ઞાન સંસ્થા ઈસરો દ્વારા ચંદ્રયાન-3ને ચંદ્ર ઉપર મોકલવામાં આવ્યું છે અને ચંદ્રયાન-3 હાલમાં ચંદ્રમાની બિલકુલ નજીક પહોંચી ગયું છે ત્યારે સફળતા પૂર્વક ચંદ્રયાન-3 લેન્ડિંગ કરે તે માટે આજે મોરબીની માધાપરવાડી શાળાની બાળાઓ દ્વારા પ્રાર્થના કરવામાં આવી હતી.

મોરબીની માધાપરવાડી શાળાના આચાર્ય દિનેશભાઇ વડસોલાએ જણાવ્યું હતું કે, ચંદ્રયાન-3 ચંદ્રથી થોડા કિલોમીટર દૂર છે અને ચંદ્રયાન ચંદ્ર પર સફળતાપૂર્વક લેન્ડ થાય અને ભારતની સફળતામાં એક વધુ છોગું ઉમેરાય અને વિશ્વના અગ્રીમ દેશોમાં સ્થાન પ્રાપ્ત કરે એ માટે વૈજ્ઞાનિકો ખુબજ મહેનત કરી રહ્યા છે ત્યારે વૈજ્ઞાનિકોની મહેનતને બળ મળે,એ માટે મોરબીની માધાપરવાળી શાળાની બાળાઓએ ચંદ્રયાન-3 સફળતા પૂર્વક ચંદ્રની ધરતી પર લેન્ડિંગ થાય એ માટે પ્રાર્થના કરી હતી.

વધુમાં શાળાના આચાર્ય અને શૈક્ષિક મહાસંઘના જિલ્લા અધ્યક્ષ દિનેશભાઈ વડસોલાએ ચંદ્રયાન અંગે બાળકોને જાણકારી આપી હતી કે, રશિયાનું ચંદ્રયાન લ્યુનાનો ગઈકાલે સંપર્ક તૂટી ગયેલ છે પણ ભારતનું મુન મિશન સફળ થાય એ માટે વિક્રમ લેન્ડર સફળ રીતે ચંદ્રની ધરતી પર લેન્ડ થાય એ માટે વૈજ્ઞાનિકો ખુબજ મહેનત કરી રહ્યા છે,બે વર્ષ પહેલાં ચંદ્રયાન-2 નો સંપર્ક તૂટી ગયો હતો પણ આ વખતે ચોક્કસ સફળતા મળશે વગેરે વાતો કરી હતી.અને શક્તિશાળી મંત્ર ગાયત્રી મંત્રનું ભાવવાહી રીતે બળાઓએ પઠન કર્યું હતું.

- text

- text