21 ઓગસ્ટથી મોરબીના કુબેરનાથ મહાદેવ મંદિરે શિવ મહાપુરાણનો પ્રારંભ

- text


મોરબી : મોરબીના ગ્રીનચોક ખાતે આવેલા કુબેરનાથ મહાદેવ મંદિરે આગામી તારીખ 21 ઓગસ્ટ ને સોમવારથી 29 ઓગસ્ટ ને મંગળવાર સુધી શિવ મહાપુરાણ નવાન્હ પારાયણ યોજાશે.

હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે ભોળાનાથની કૃપા અને પ્રસન્નતાર્થે કુબેરનાથ મહાદેવ મંદિરે શિવ મહાપુરાણ નવાન્હ પારાયણ જ્ઞાનયજ્ઞ મહોત્સવનું આયોજન કરાયું છે. આ કથા 21 ઓગસ્ટ થી 29 ઓગસ્ટ સુધી યોજાશે. જેમાં દરરોજ બપોરે 3 થી સાંજે 7 વાગ્યા સુધી સાહિત્યાચાર્ય-ભાગવતાચાર્ય આશુતોષભાઈ શુક્લ વ્યાસપીઠ પર બીરાજી કથાનું રસપાન કરાવશે. કથા દરમિયાન વિવિધ પ્રસંગો ઉજવાશે. તો આ કથાનો લ્હાવો લેવા માટે સર્વે શિવભક્તોને આમંત્રણ પાઠવાયું છે.

- text

- text