મોરબીની મહેતા આર્ટ્સ કોલેજની વિદ્યાર્થિનીઓની રાજ્યકક્ષાના એનએસએસ કેમ્પમાં પસંદગી

- text


મોરબી : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એનએસએસ વિભાગ દ્વારા રાજ્યકક્ષાના એનએસએસના કેમ્પ માટે આજે 18 ઓગસ્ટના રોજ યુનિવર્સિટી અંતર્ગત કોલેજોમાંથી સ્વયંસેવિકાઓ પસંદ કરવાનો કેમ્પ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ ખાતે યોજાયો હતો જેમાં મોરબીની યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજના એનએસએસ યુનિટની બે સ્વયંસેવિકા બહેનોની પસંદ કરીને યુનિવર્સિટી ખાતે મોકલવામાં આવી હતી. આ બંને સ્વયંસેવિકાઓ ખુશી મનોજભાઈ પરમાર અને માનસી જીતેન્દ્રભાઈ છત્રોલાની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે યોજાયેલા કેમ્પમાં પસંદગી થઈ છે.

પસંદગી પામેલી આ બંને સ્વયંસેવિકાઓ હવે અમદાવાદ ખાતે આગામી 25 ઓગસ્ટથી શરૂ થઈ રહેલા રાજ્યકક્ષા કેમ્પમાં સામેલ થશે. બંને સ્વયંસેવિકાઓને એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડો. આર. કે. વારોતારીયા અને કે. આર.દંગીએ કોલેજનું ગૌરવ વધારવા બદલ શુભકામનાઓ પાઠવી છે.

- text

- text