મોરબી : સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા નિવૃત આર્મી જવાનોનું સન્માન કરાયું

- text


મોરબી : આજ રોજ તારીખ 12 ઓગસ્ટના રોજ સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ પ્રદેશના માર્ગદર્શન હેઠળ મોરબીના નિવૃત આર્મી જવાનોનું સન્માન કરવા માટેનો કાર્યક્રમ યોજાયો હતો.

સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ મોરબી દ્વારા યોજાયેલા આ સન્માન સમારોહમાં મોરબી જિલ્લાના રતનપરના માજી સૈનિક મંડળના પ્રમુખ બાપાલાલ જીજુભા ઝાલા, ત્રિભોવનભાઈ અઘારા (રાજપર), સહદેવસિંહ પ્રતાપસિંહ ઝાલા (રવાપર નદી) નિવૃત થતા તેઓને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું અને મીઠાઈ ખવડાવી અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ મોરબી તાલુકા સંયોજક નવનીતભાઈ પટેલ, કિશનભાઈ સોલંકી, મોરબી નગર સંયોજક જયુભાઈ ગઢવી ઉપસ્થિત રહ્યા હતા અને નિવૃત જવાનોનું સન્માન કર્યું હતું.

- text

- text