તા.5 ઓગસ્ટે મોરબીમાં વિનામૂલ્યે આયુર્વેદ-હોમિયોપેથિક નિદાન સારવાર કેમ્પ યોજાશે

- text


મોરબી : નિયામક, આયુષની કચેરી, ગાંધીનગર તેમજ જિલ્લા આયુર્વેદ અધિકારી- મોરબીની સુચના તથા માર્ગદર્શન હેઠળ સરકારી આયુર્વેદ દવાખાનું, જનરલ હોસ્પિટલ- મોરબી તથા સરકારી હોમિયોપેથિક દવાખાનુ, જનરલ હોસ્પિટલ- મોરબી દ્વારા આગામી તારીખ 5 ઓગસ્ટ ને શનિવારના રોજ સવારે 9 થી બપોરે 12-30 વાગ્યા સુધી વાઘપર ખાતેની સતવારા સમાજની વાડીમાં વિનામૂલ્યે આયુર્વેદ તથા હોમિયોપેથિક નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

આ કેમ્પમાં વિનામૂલ્યે આયુર્વેદિક નિદાન અને સારવાર, હોમિયોપેથિક નિદાન અને સારવાર કરવામાં આવશે. આ ઉપરાંત આયુર્વેદિક ઔષધિઓ, આયુર્વેદિક જીવનશૈલી તેમજ યોગ વિષયક ચાર્ટનું પ્રદર્શન, આયુર્વેદિક રોગ પ્રતિરોધક અમૃતપેય ઉકાળા તથા દવાનું વિતરણ, હોમિયોપથિક રોગ પ્રતિરોધક દવાનું વિતરણ, હરસ, મસા, શ્વાસ, એલર્જી, ચામડીના રોગ, સ્ત્રીઓના રોગ, બાળકોના રોગ, પાચન સંબંધી તકલીફ તેમજ જીવનશૈલી આધારિત રોગોનું નિદાન અને સારવાર કરવામાં આવશે. ફિટનેસ કા ડોઝ આધા ઘંટા રોઝ આ સૂત્ર મુજબ તંદુરસ્ત રહેવા માટેનું માર્ગદર્શન અને આયુર્વેદ તથા હોમિયોપેથિક દવાઓ વિનામૂલ્યે આપવામાં આવશે. આ કેમ્પમાં વૈદ્ય ખ્યાતિબેન ઠકરાર (મે.ઓ.આયુર્વેદ), ડૉ. વિજયભાઈ નાંદરિયા, (મે.ઓ.હોમિયોપથી), ડૉ. જીતેન્દ્રભાઈ ઠાકર (મે.ઑ.હોમિયોપથી) સેવા આપશે. તો આ કેમ્પનો લાભ લેવા સર્વેને જણાવાયું છે.

- text