મચ્છુ-1માં આવેલ નવા નીરના વધામણાં કરતા સાંસદ મહારાજા કેસરીદેવસિંહજી 

- text


વાંકાનેર : વાંકાનેરની જીવાદોરી સમાન મચ્છુ ડેમ-1 ડેમ સતત પાંચ વર્ષથી ઓવરફ્લો થતાં આજરોજ નવનિયુક્ત રાજ્યસભા સાંસદ વાંકાનેર મહારાણા રાજ સાહેબ કેસરીદેવસિંહજી ઝાલાના હસ્તે શાસ્ત્રોક વિધિ પ્રમાણે જળાશયમાં ધડી, મોળ્યો, ચુંદડી, શ્રીફળ અને ફૂલથી નવા નીરના વધામણા કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે વાંકાનેર ભાજપ પરિવાર તેમજ વાંકાનેર શહેર અને તાલુકાના નાગરિકો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.

- text

- text