- text
મોરબી : ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ હેઠળ કાલે તા.૧૯ના રોજ અમુક વિસ્તારોમાં વીજપુરવઠો મેન્ટેનન્સ હેતુ બંધ રાખવામાં આવનાર છે.
જેમાં મહાદેવ જેજીવાય ફીડરમાં ૮થી ૧૨ વાગ્યા સુધી, નીચી માંડલ ગામ તથા આસપાસનો વિસ્તાર, ગજાનંદ જેજીવાય ફીડરમાં ૮થી ૨ વાગ્યા સુધી, કાલિકાનગર ગામ તથા આસપાસનો વિસ્તાર, ઓમેન ind ફીડરમાં ૮થી ૪ વાગ્યા સુધી તમામ રહેણાંક, વાણિજ્ય તેમજ ઔદ્યોગીક (એચ.ટી) વીજ જોડાણમાં પુરવઠો બંધ રહેશે.
- text
મેન્ટેનન્સની કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે. તેમ નાયબ ઇજનેર- ઘુંટુ ઔધોગિક પેટા વિભાગની યાદીમાં જણાવાયું છે.
- text