લાયન્સ ક્લબ મોરબી દ્વારા વૃક્ષોના રોપા તેમજ ચકલીના માળાનું વિતરણ કરાયું

- text


મોરબી : મોરબી લાયન્સ ક્લબ ઓફ સીટી દ્વારા વધુ વૃક્ષો વાવો અને પર્યાવરણ બચાવો હેતુ અંતર્ગત ઉમિયા સર્કલ પાસે આવેલા સત્યેશ્વર મહાદેવ મંદિર ખાતે વૃક્ષાના રોપાનું તેમજ ચકલીના માળાનું વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.

લાયન્સ કલબ આયોજિત આ કાર્યક્રમમાં આશરે 1200 રોપાનું વિતરણ તેમજ 1000 જેટલા ચકલી ઘરનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ વિતરણ કાર્યક્રમમાં લાયન્સ ક્લબ ઓફ મોરબી સીટીના પ્રેસીડેન્ટ લા કેશુભાઈ દેત્રોજા, સેક્રેટરી લા ટી. સી. ફૂલતરીયા, ખજાનચી લા મણિલાલ જે કદાવર, પ્રોજેક્ટ ચેરમેન લા મહાદેવભાઈ ચીખલીયા, લા નાનજીભાઈ મોરડીયા, લા અમિતભાઈ સુરાની, લા અમરશીભાઈ અમૃતિયા, લા ભીખાભાઈ લોરિયા, લા જીજ્ઞેશભાઈ કાવર તેમજ સત્યેશ્વર મંદિરના પૂજારી ગૌતમભાઈ, રાજેશગીરી ઉપસ્થિત રહી બંને પ્રોજેક્ટો પૂર્ણ કરવામાં આવ્યા હતા.

- text

- text