કામધંધો બરાબર નહિ ચાલતા મોરબીના આંદરણા ગામના યુવાને એસિડ પી મોત માંગ્યું

- text


મોરબી : મોરબીના આંદરણા ગામે રહેતા અને સિરામિક ફેકટરીમાં કામ કરતા યુવાનના ત્રણ માસ પૂર્વે લગ્ન થયા બાદ હાલમાં કામધંધો બરાબર ચાલતો ન હોવાથી સતત ટેંશનમા રહી ચિંતામાં ને ચિંતામાં ગઈકાલે એસિડ ગટગટાવી મોત વ્હાલું કરી લેતા સોલંકી પરિવારમાં આક્રંદ છવાયો છે.

- text

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકાના આંદરણા ગામે રહેતા નરેશભાઈ મનજીભાઈ સોલંકી નામના યુવાનના ત્રણ માસ પહેલા લગ્ન થયા હતા. જો કે, સિરામિક કારખાનામાં કામ કરતા નરેશભાઈને કામધંધો બરાબર ચાલતો ન હોવાથી સતત ચિંતામાં રહેતા હતા અને ચિંતામાં ને ચિંતામાં તેઓને લાગી આવતા એસિડ પી લઈ જિંદગીનો અંત આણી લેતા ત્રણ માસ પહેલા જ પ્રભુતામાં ડગ માંડનાર તેમના પત્નીનો સેથીનો સિંદૂર વિખાયો છે અને સોલંકી પરિવારમાં ગમગીની છવાઈ છે.

- text