લાયન્સ ક્લબ મોરબી સીટી દ્વારા બટુક ભોજન કરાવાયુ 

- text


મોરબી : લાયન્સ ક્લબ મોરબી સીટી દ્વારા પવિત્ર એકાદશી નિમિત્તે નવલખી રોડ પર આવેલા રણછોડ નગર ખાતે આવેલા સાંઈ મંદિર તેમજ હનુમાનજી મંદિર ખાતે બટુક ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું.

લાયન્સ ક્લબ મોરબી સીટી દ્વારા રણછોડ નગર વિસ્તારના બાળકો અને પરિવારના આશરે 350 લોકોને સાંજનું ભોજન કરાવ્યું હતું. આ તકે મોરબી સીટીના પ્રમુખ કેશુભાઈ દેત્રોજા, ઈન્ટરનેશનલના સૌરાષ્ટ્ર-કચ્છનાં પ્રથમ વાઈસ ગર્વનર રમેશભાઈ રૂપાલા, પૂર્વ પ્રમુખ લા. ભીખાભાઈ લોરીયા, સેક્રેટરી લા. ટી. સી. ફુલતરીયા, ખજાનચી લા. મણિલાલ કાવર, પ્રાણજીવનભાઈ રંગપડીયા, લા. મહાદેવભાઈ ઉટવાડીયા તેમજ લા. નાનજીભાઈ મોરડીયા, મંદિરના મહંત બાબુભાઈ સહીતના હાજર રહ્યા હતા.

- text

- text