ગાળા ગામે વારંવાર ખોટી ફરિયાદ નોંધવામાં આવતી હોવાની રાવ સાથે ગ્રામજનોનું કલેકટરને આવેદન

- text


ગ્રામ પંચાયત અને નિર્દોષ નગરિકો પર થયેલી ફરિયાદ તદ્દન પાયાવિહોણી હોય ખોટી ફરિયાદ કરનાર સામે પગલાં લેવા કલેક્ટર સમક્ષ માંગ

મોરબી : મોરબીના ગાળા ગામની પંચાયત બોડી તેમજ ગામના પટેલ સમાજ ઉપર અવાર નવાર તદન ખોટી અને મનધડત તથા પાયાવિહોણી ગાળા ગામના અનુસૂચિત સમાજના અમુક લોકો દ્રારા અવાર નવાર ફરીયાદો નોંધાવવા મામલે ગ્રામજનોએ કલેક્ટર આવેદન આપી આ ફરિયાદો પાયા વિહોણી હોય ફરિયાદ કરનાર સામે કાર્યવાહી કરવા અને ખોટી ફરિયાદ રદ કરવાની માંગ ઉઠાવી છે.

ગાળા ગામના ગ્રામજનોએ કલેક્ટરને આવેદન આપીને જણાવ્યું હતું કે, અનુસૂચિત સમાજના અમુક લોકો દ્વારા ગાળા ગામ પંચાયત બોડી તેમજ ગામના નાગરીકો ઉપર અવાર નવાર ખોટી ફરીયાદ કરીને હેરાન કરવામાં આવે છે. અને અવારનવાર ખોટી એટોસીટી ફરીયાદની ધમકીઓ આપીને ગામ લોકોને પરેશાન કરે છે.જે ગાળા ગામના રસ્તા ઉપર દબાણ કરેલ જે દબાણ જલ્લા પંચાયત કચેરી દ્રારા ડીમોલીશનની કામગી૨ી ક૨વામા આવી હતી. જેના અનુસંધાને ગાળા ગામના ૪ વતની જીતીયા રાહુલ કેશવજીભાઈએ કલેક્ટર કચેરીમાં તા. ૧૩-૭-૨૦૨૩ ના રોજ ગાળા ગામના નાગરીકો ઉપર અસ્પૃશ્યતા અને મુળભુત અધીકારોથી વંચીત રાખવા બાબતની અરજી કરેલ છે. જે તદન ખોટી અને પાયાવીહોણી છે.તેથી અમો ગાળા ગામના નાગરીકો જણાવીએ છીએ કે અમો ગાળા ગામના નાગરીકો એ કોઈ દીવસ આ લોકો ઉપર કોઈપણ પ્રકારનું ગેરવર્તન કરેલ નથી. અને અમારૂ ગામ એમના કોઈપણ સામાજીક કાર્યમાં સંપૂર્ણ સહકાર આપે છે. જેના પુરાવા રૂપે તા.૫-૫-૨૦૨૩ ના રોજ અનુસુચિત સમાજ દ્રારા ૧૧ દીકરીઓના સમુહ લગ્નનું આયોજન રાહુલભાઈ કેશવજીભાઈ જીતીયા દ્રારા કરવામાં આવેલ હતું તેમા અમારા ગામના સરપંચ તથા ઉધોગપતીઓ દ્રારા જ ફાળો આપેલ હતો.જેના પુરાવા રૂપે લગ્ન કંકોત્રી સામેલ છે. જેમા ગામના દાતાઓના નામ છે.

વધુમાં ગાળા ગ્રામ પંચાયતના ૬૫ –માં નાણાપંચની ગ્રાંટમાંથી તેમનું સ્મશાન ઉપર સ૨ક્ષણ દિવાલ અંગેની ગ્રાંટની રકમ ૨,૦૦,૦૦૦ અંકે રૂપીયા બે લાખ પુરા ફાળવવામાં આવેલ છે. ત્યારબાદ તેમના વિસ્તારની અંદર પેવર બ્લોકની ગ્રાંટ ૨,૫૦,૦૦૦ અંકે રૂપીયા બે લાખ પચાસ હજારની ગ્રાટ પણ ફાળવવામાં આવેલ છે. ગાળા ગામના યુવાનો દ્વારા સ્વચ્છતા અભીયાન ચલાવવામાં આવે છે. તેમા યુવક મંડળ દ્વારા સ્ટ્રીટલાઈટ ગોઠવવામાં આવેલ છે તેનું લાઈટબીલ ગાળા ગામના યુવાનો દ્વારા ચુકવવામાં આવે છે. તો ગાળા ગામના નાગ૨ીકો ને એ સમજાતુ નથી કે રાહુલભાઈ કેશવજીભાઈ જીતીયા દ્રારા અસ્પૃશપ્તા અને મુળભુત અધીકારોની અરજી કેમ કરેલ છે. તો આ પાયાવીહોણા અને ખોટા આક્ષેપો શા માટે કરે છે. અને ગાળા ગામના નાગરીકો ને એવો ભય સતાવે છે કે આગળ જતા કોઈપણ પ્રકારની નીમ્ન કક્ષની ફરીયાદો તો નહીં કરે ને ? તેથી ગામના વતનીઓની કોઈપણ તથ્ય વિનાની અને પાયાવિહોણી ફરીયાદ ન થાય એના માટે યોગ્ય પગલાં ભરવાની માંગ કરી છે.

- text

- text