ભાજપ રાજ્યસભાની એક બેઠક માલધારી સમાજને ફાળવે તેવી માંગ 

- text


મોરબી : ગુજરાત રાજ્યમાં ખાલી પડેલ રાજ્યસભાની ૩ બેઠક પર ભાજપ પક્ષ એક બેઠક માલધારી સમાજને આપે તેવી રજૂઆત આગેવાનોએ સમાજ માટે કરવી જોઈએ. તેવું રમેશભાઈ રબારી જણાવે છે.

તેઓએ વધુમાં ઉમેર્યું કે ઘણા વર્ષોથી માલધારી સમાજ ભાજપ પક્ષ સાથે જોડાયેલ છે હર હંમેશ નાની મોટી ચૂંટણીમાં ભાજપ પક્ષના ઉમેદવારની તરફેણમાં મતદાન કરી વિજેતા બનાવવામાં મહત્વની ભૂમિકા માલધારી સમાજ દ્વારા બજાવવામાં આવેલી છે. ત્યારે ભાજપ મોવડી મંડળ પાસે સમાજના આગેવાનોએ ખાલી પડેલ ૩ રાજ્યસભાની બેઠકમાંથી એક બેઠક ઉપર માલધારી સમાજને ફાળવવા માટે માંગણી કરવી જોઈએ. અગાઉના સમયમાં કોગ્રેસ પક્ષ દ્વારા માલધારી સમાજને રાજ્યસભાની એક બેઠક ફાળવેલ.

રમેશભાઈ રબારી અંતમાં જણાવે છે કે સમાજને જો રાજ્ય સભાની બેઠક ફાળવવામાં નહિ આવે તો આવનાર લોકસભા ચૂંટણીના સમયે માલધારી સમાજને વિચારવું પડશે. માટે માલધારી સમાજને ન્યાય આપવા માટે આ રાજ્ય સભાની એક બેઠક ફાળવી જરૂરી છે. તેવી રજૂઆત ભાજપના મોવડી મંડળને કરવી જોઇએ.

- text

- text