મહેન્દ્રનગરમાં વેરા રજિસ્ટરમાં નામ ચડાવવામાં ચાલતા ભ્રષ્ટાચારની તપાસ કરો : ધારાસભ્યની માંગ

- text


મોરબી : મોરબી તાલુકાના મહેન્દ્રનગર ગામે વેરા રજિસ્ટરમાં નામ ચડાવવામાં ચાલી રહેલા ભ્રષ્ટાચારની તુરંત તપાસ કરાવવા ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ માંગ કરી છે.

મોરબી મહેન્દ્રનગર ગામે હાલ વહીવટદાર શાસન ચાલી રહ્યું છે. ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રી દ્વારા ચાલતા ભ્રષ્ટાચારની રજૂઆત સોસાયટી ધારકોએ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાને કરી હતી અને જણાવ્યું હતું કે વેરા રજિસ્ટરમાં નામ ચડાવવાની 2100 રૂપિયાની પહોંચ આપવામાં આવે છે અને તેના બદલે 2500 રૂપિયાથી વધુની રકમ લેવામાં આવી રહી છે. ત્યારે અંગે તલાટી કમ મંત્રી સામે કાર્યવાહી કરવામાં આવે. ગ્રામજનોની આ રજૂઆતને ધ્યાને લઈને ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ મોરબી જિલ્લા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરીને આ અંગે નિષ્પક્ષ તપાસ કરીને સાત દિવસમાં જવાબદારો સામે યોગ્ય પગલાં લેવા માંગ કરી છે.

- text

- text