- text
મોરબી : માળીયા શહેરની મેઈન બજારમાં પોલીસ ચોકીની સામે જ ચાર તસ્કરોએ જવેલર્સની દુકાનને નિશાન બનાવી 2 કિલોગ્રામ ચાંદીના દાગીના સહિતની ચીજવસ્તુઓની ચોરી કરવા પ્રકરણમાં પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ ગત તા.21ના રોજ રાત્રીના 2થી સવા બે વાગ્યાના 15 મિનિટના અરસામાં માળીયાની મેઈન બજારમાં પોલીસ ચોકી સામે આવેલ અંબિકા જવેલર્સ નામની દુકાનમાં ચાર તસ્કરોએ શટરના નકુચા તોડી દુકાનમાં રહેલ ચાંદીના 2 કિલોગ્રામ વજનના દાગીના તેમજ ઇમિટેશમ અને ડિસ્પ્લેમાં રાખેલ દાગીનાની ચોરી કરી જતા શોરૂમના માલિક નિલેશભાઈ ચંદ્રકાન્તભાઈ રાણપરા, રહે.ધ્રાંગધ્રા વાળાની ફરિયાદના આધારે માળીયા પોલીસે ચાર અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
- text
- text