મોરબીમાં વાવાઝોડા દરમિયાન ફાયર બ્રિગેડને 145 ફરિયાદો મળી, ટિમો સતત દોડતી રહી

- text


વાવાઝોડાની સ્થિતિમાં પાલિકાની તમામ ટિમો બચાવ કામગીરીમાં સતત સક્રિય રહી 

મોરબી : મોરબી જીલ્લામાં બીપરજોય વાવાઝોડાની આગાહીને મુજબ મોરબી ચીફ ઓફિસરના માર્ગદર્શન હેઠળ પરીસ્થિતિને પહોચી વળવા વધુ નુકસાન ન થાય તે માટે વિવિધ ટીમો કાર્યરત હતી. તેમાં મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસની ૧૫ માણસોની ટીમ ૨૪x૭ એલર્ટ મોડમાં રહી હતી. સાથે ૦૧ HDPE બોટ ,૦૧ રેસ્ક્યુ ટેન્ડર ,૦૧ મીની ફાયર, ૦૧ ફાયર ટેન્ડર અને કટર, રસ્સા વગેરે અન્ય સાધનો સાથે કોઈ પણ પરિસ્થિતિને પહોચી વળવા તૈયાર હતી. તેમજ માહિર તરવૈયા અને સ્ટ્રક્ચર ડેમેજના બનાવની ટીમ અલગથી બનવામાં આવી હતી.

મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગ દ્વારા ઘર, શેરી ,જાહેર રસ્તા, વીજતાર પર પડી કે નમી ગયેલ ઝાડના હાલ સુધી ૧૦૧ ઈમરજન્સી નંબર પર કૂલ ૧૪૫ કોલ આવેલ હતા. મોરબી ફાયર ટીમ દ્વારા વાવાઝોડા દરમિયાન ઘરમાં, શેરીઓમાં, જાહેર રસ્તામાં તેમજ વીજળીના તારને નમીને અવરોધ રૂપ બનેલા વૃક્ષોને કટીંગ, સ્પ્રેડીન્ગ જેવા સાધનોની મદદથી હટાવીને ઘર ઉપર પડતા બચાવી લેવાની સાથે રસ્તા ખુલ્લા કરવાની કામગીરી કરવામાં આવી હતી.તેમજ સાથે સાથે આગ ૦૨ના કોલ અને સ્ટ્રકચરલ ડેમેજના ૦૧ કોલ અટેન્ડ કરી કામગીરી કરવામાં આવી હતી.

- text

- text