- text
મોરબી : વાવાઝોડાને પગલે અનેક સ્થળોએ જાનમાલની નુક્સાનીના અહેવાલો મળી રહ્યા છે. તેવામાં મોરબીમાં રોહિદાસપરા શેરી નં.2માં એક મકાનની છત તૂટી ગઈ છે. અમુભાઈ ગોવિંદભાઈ બડઘાના આ મકાનમાં પવન અને વરસાદને કારણે છત નીચે પડતા નુકસાની થઈ છે. જો કે આ બનાવમાં કોઈ જાનહાનિ સર્જાઈ નથી.
- text
- text