- text
મોરબી : વાવાઝોડાની આપત્તિ સમયે લોકસેવામાં સતત ખડેપગે રહેનાર તમામ લોકોને રામધન આશ્રમના મહંત ભાવેશ્વરીમાં એ બિરદાવ્યા છે. તેઓએ પોતાના સંદેશમાં જણાવ્યું છે કે વહીવટી તંત્ર, પોલીસ તંત્ર, એનડીઆરએફ, નેતાઓ, નગરપાલિકા તંત્ર, આરોગ્ય તંત્ર, સંતો, મીડિયાકર્મીઓ, સેવાભાવી સંસ્થાઓ, સ્વયં સેવકો ઉપરાંત અન્ય તમામ જે જે વિપત્તિ સામે બાથ ભીડી લોકોની મદદે સતત દોડતા રહ્યા છે. તમામની સેવા બિરદાવવા લાયક છે. રામધમ આશ્રમ પણ યથાશક્તિ મુજબ અસરગ્રસ્ત લોકો માટે ભોજન અને રાશન અર્પણ કરી સેવામાં ભાગીદાર બન્યું હતું. આમ લોકો કપરા સમયે એકબીજાને મદદરૂપ બને તે મોટું પુણ્ય છે.
- text
- text