માટેલમાં ખોડિયાર માતાજીના મંદિરે અષાઢી એકમે માંડવો નહિ યોજાઈ

- text


મોરબી : ભાવિકોના આસ્થાના કેન્દ્ર એવા માટેલના આઈ શ્રી ખોડિયાર માતાજી મંદિરે દર અષાઢી એકમના રોજ ગૌમાતાના લાભાર્થે માતાજીનો માંડવો યોજવામાં આવે છે. પણ આ વર્ષે વાવાઝોડાની પરિસ્થિતિના કારણે આ માંડવો યોજવામાં નહિ આવે. જેની દરેક ભાવિકોને નોંધ લેવા મંદિરની યાદીમાં જણાવાયું છે.

- text