- text
મોરબી : ભાવિકોના આસ્થાના કેન્દ્ર એવા માટેલના આઈ શ્રી ખોડિયાર માતાજી મંદિરે દર અષાઢી એકમના રોજ ગૌમાતાના લાભાર્થે માતાજીનો માંડવો યોજવામાં આવે છે. પણ આ વર્ષે વાવાઝોડાની પરિસ્થિતિના કારણે આ માંડવો યોજવામાં નહિ આવે. જેની દરેક ભાવિકોને નોંધ લેવા મંદિરની યાદીમાં જણાવાયું છે.
- text