ટંકારાના જીવાપરમાં છાપરા ઉડી જતા ખેડૂતનો 200 મણ કપાસ પલળી ગયો

- text


ટંકારા : ટંકારા તાલુકાના જીવાપર ગામે વલ્લભભાઈ લુણાગરિયાની વાડીમાં ભારે પવનના લીધે મહાકાય લીમડાનું વૃક્ષ ધરાશાયી થયું હતું. આ ઉપરાંત મકાનના છાપરા ઉડી જતાં અંદાજિત 200 મણ કપાસ પલળી ગયો છે. આમ ખેડૂતને મોટી નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે.

- text