- text
મોરબી : મોરબીમાં ભારે પવનને કારણે કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે તંત્ર દ્વારા મહેન્દ્રપરામાં સલામતીના ભાગરૂપે જુનવાણી જર્જરિત મકાનનો ઇમલો પાડી નાખવામાં આવ્યો હતો. આ મકાન પડવાની હાલતમાં હોય કોઈ જાનહાનિ ન થાય તે માટે સ્થાનિકો દ્વારા કંટ્રોલ રૂમમાં ફરિયાદ કરવામાં આવી હતી. જેને પગલે તંત્ર દ્વારા જેસીબી પડે આ મકાન તોડી પાડવામાં આવ્યું હતું.
- text
- text