- text
હળવદ : સંભવિત બિપરજોય વાવાઝોડાના પગલે હળવદના શરણેશ્વર મહાદેવ મંદિર ખાતે આશ્રયસ્થાન ઉભુ કરવામાં આવ્યું છે. જે અન્વયે હળવદ ઇન્ચાર્જ મામલતદાર ચિંતન આચાર્યએ આ આશ્રય સ્થાનની મુલાકાત લઈ જરૂરી વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. અને ત્યાં સ્થળાંતરિત થયેલ લોકો સાથે વાતચીત કરી તેમને કોઈ અગવડ ન પડે તે બાબતે ચોકસાઈ પૂર્વક નિરીક્ષણ કર્યું હતું.
- text
- text