- text
વાવાઝોડાને પગલે કામદારોની સુરક્ષા માટે લેવાયો નિર્ણય
મોરબી : વાવાઝોડા બીપરજોયને પગલે મોરબીના મોટાભાગના ઉદ્યોગોએ ત્રણ દિવસ ઉદ્યોગ ધંધા બંધ રાખવા નિર્ણય કર્યો છે ત્યારે મોરબી ક્લોક ઇન્ડસ્ટ્રીઝ દ્વારા પણ આવતીકાલથી ત્રણ દિવસ ઉદ્યોગ બંધ રાખવા નિર્ણય કર્યો છે.
- text
મોરબી લાતીપ્લોટમા આવેલ ક્લોક ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા વાવાઝોડા બીપરજોયને પગલે અહીં કામે આવતા મહિલા શ્રમિકોની સુરક્ષા માટે આવતીકાલથી ત્રણ દિવસ માટે સંપૂર્ણપણે ક્લોક ઇન્ડસ્ટ્રીઝ બંધ રાખવા નિર્ણય કર્યો હોવાનું સતાવાર રીતે જાહેર કરાયુ છે.
- text