કેનાલમાં પાણી છોડવા બદલ સીએમનો આભાર વ્યક્ત કરતા સાંસદ – ધારાસભ્ય

- text


મોરબી : મોરબી જિલ્લામાં ખેડૂતોને ખરીફ પાક માટે કેનાલનું પાણી મળી રહે તે માટે સાંસદ મોહનભાઈ કુંડારિયા અને ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ રજુઆત કરી હતી. ત્યારે કેનાલમાં પાણી છોડવા બાબતે સરકારે નિર્ણય લેતા બન્ને જન પ્રતિનિધિઓએ મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો છે.

- text

મોરબી સાંસદ અને ધારાસભ્યની રજુઆત બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા મંત્રીમંડળ દ્વારા 1 જૂનથી 10 હજાર ક્યુસેક પાણી નર્મદા કેનાલમાં છોડવાનો નિર્ણય લેવાયો છે. ત્યારે સાંસદ મોહનભાઈ કુંડારિયા અને ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ મુખ્યમંત્રી તથા મંત્રીમંડળનો આભાર વ્યક્ત કર્યો છે.

 

- text