મોરબીમા રવિવારે સિનીયર સીટીઝન મંડળની મિટીંગ યોજાશે

- text


મોરબી : મોરબી સિનીયર સીટીઝન મંડળ દ્વારા તા. ૪ જૂનને રવિવારે સવારે ૧૦ કલાકે ધન્વંતરિ ભવન, કાયાજી પ્લોટ, શનાળા રોડ ખાતે મિટીંગનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભાજપ સરકારના વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઇ મોદીને ૯ વર્ષ પૂર્ણ થતાં તેની ઉજવણીના ભાગરૂપે સવારે ૧૦:૩૦ કલાકે પ્રોફેસર અનિલભાઈ કંસારાની જીવન સંધ્યાનો આનંદ ઉપર વ્યાખ્યાન રાખવામાં આવ્યું છે તેમજ બપોરે ૧૨ કલાકે મનહરભાઈ કગથરા તરફથી પ્રીતી ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે. તો આ મિટીંગમાં દરેક સિનીયર સીટીઝન મંડળના સભ્યોએ ઉપસ્થિત રહેવા પ્રમુખ ડો.બી.કે.લહેરૂ, મંત્રી મહેશભાઈ ભટ્ટે નિમંત્રણ પાઠવ્યું છે.

- text

- text