ટંકારાની શ્રુતિ નગવાડિયાનું ધો.૧૦માં ઉત્કૃષ્ટ પરિણામ 

- text


મોરબી : માધ્યમિક શિક્ષણ બોર્ડના પરીણામમાં ટંકારા એમ.પી. દોશી વિદ્યાલયની છાત્રા શ્રૂતિ સંજયભાઈ નગવાડિયા એ 96.63 પી આર સાથે શાળામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે.

આ અગાઉ શ્રુતિ એન એમ.એમ.એસ. પરીક્ષામાં તાલુકા પ્રથમ ક્રમે ઉતિર્ણ થઇ હતી. શ્રુતિએ દાદા વિનોદભાઈ પાસેથી ગણીતનુ જ્ઞાન પ્રાપ્ત કર્યુ છે અને દાદી શાંતાબેન પાસેથી ગુજરાતી શીખ્યું છે. સભ્ય વ્યવસ્થાને જીવનમાં ઉતારી ગાયત્રી સ્ટુડિયોના માલિક પિતા સંજયભાઈ અને માતા રેખાબેનની લાડકવાઈ શ્રૂતિએ ઉત્કૃષ્ટ પરીણામથી શાળા પરીવાર તથા ગામનું ગૌરવ વધાર્યું છે

- text

- text