હળવદ : મકાઈનું ભુસુ ખાધા બાદ બે ભેંસના મોત થયાનો પશુપાલકનો આક્ષેપ

- text


હળવદ : હળવદના નવા દેવળીયા ગામે મકાઈનું ભુસુ ખાધા બાદ બે ભેંસના મોત નિપજ્યાનો પશુ પાલક દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ઘટનાએ લઈને સમગ્ર પંથકમાં ચર્ચા જગાવી છે.

હળવદના નવા દેવળીયા ગામે રહીને પશુપાલનનો વ્યવસાય કરતા માલધારી વિમલભાઈ કરમણભાઈએ જણાવ્યું હતું કે, ગઈકાલે તા.12ના રોજ પાંચ ભેંસોને મકાઈનું ભુસુ ખવડાવ્યું હતું. જેમાંથી બે ભેંસ વારાફરતી બેભાન થઈ જતા બન્ને ભેંસોના મોત નિપજ્યા હતા. આ બન્ને ભેંસોના મોત પાછળ ભુસુ કારણભૂત છે.

બીજી તરફ પીએમ કર્યા બાદ પશુ તબીબ દ્વારા એવું જાહેર કરવામાં આવ્યું હતું કે ભુસુ પચ્યું ન હોવાના કારણે આ બન્ને ભેંસોના મોત નિપજ્યા છે.

- text

- text