વાંકાનેરમાં અડધી રાત્રે સળગતી બોટલોના ઘા થયા

- text


દૂધના ધંધાર્થી ઘર પાસે ભાઈ સાથે વાતો કરતા હતા ત્યારે આવેલા બે અજાણ્યા શખ્સોએ કરેલું કારસ્તાન

વાંકાનેર : વાંકાનેરની અમરનાથ સોસાયટીમાં ભેદભરમના આટાપાટા સર્જતી એક ઘટનામાં ઘર પાસે ઉભેલા દૂધના ધંધાર્થી ઉપર બાઇકમાં આવેલા બે અજાણ્યા શખ્સોએ જ્વલનશીલ પદાર્થ ભરેલી સળગતી બોટલોના ઉપરાછાપરી ઘા કરતા સનસનાટી મચી જવા પામી છે.

બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા દૂધના ધંધાર્થી ગેલાભાઇ મૈયાભાઇ મુંધવા ઉ.45 જાહેર કર્યું હતું કે, ગત તા.9ના રોજ રાત્રીના 3.30 કલાકે તેઓની ઊંઘ ઉડી જતા અમરનાથ સોસાયટીમાં ઘર નજીક આવેલ ગાય અને ભેંસના વાડામાં ચક્કર મારી ઘર પાસે પાર્ટ આવીને ઉભા હતા ત્યારે તેમના પિતરાઈ ભાઈ તેમની પાસે આવતા બન્ને ઉભા ઉભા વાતો કરતા હતા ત્યારે એક મોટર સાયકલમાં કાળા કપડાં પહેરેલા બે શખ્સ નજીકમાં આવ્યા હતા.

- text

વધુમાં આ બન્ને શખ્સ શંકાસ્પદ લાગતા ગેલાભાઇએ બન્નેને પડકારી કોણ છે તેવું પૂછવા આગળ વધતા જ બન્ને શખ્સ અંદરો અંદર આવ્યો… આવ્યો એવી વાતો કરી ગેલાભાઇ કઈ સમજે વિચારે તે પૂર્વે જ તેમના તરફ જ્વલનશીલ પદાર્થ ભરેલી સળગતી બોટલનો ઘા કરતા ગેલાભાઈએ હોહા ગોકીરો કરતા ફરી પાછો બન્ને શખ્સોએ બીજી સળગતી બોટલનો ઘા કર્યો હતો અને ગેલાભાઇ તેમની પાછળ દોડતા જતા જતા ફરી એક સળગતી બોટલનો ઘા કરતા થોડી વર્મા જ સોસાયટીના રહેવાસીઓ એકત્રિત થઈ ગયા હતા. જો કે, બન્ને શખ્સ બાદમાં અંધારામાં ઓગળી ગયા હતા.

ભેદભરમના આટાપાટા સર્જતી આ ઘટનામાં હાલમાં વાંકાનેર સીટી પોલીસે ગેલાભાઇ મૈયાભાઇ મુંધવાની ફરિયાદને આધારે બે અજાણ્યા શખ્સ વિરુદ્ધ આઇપીસી કલમ ૩૪૧, ૨૮૫, ૩૩૬, ૧૧૪ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text