વવાણીયા માતૃશ્રી રામબાઈમાં મંદિરે 18મો પાટોત્સવ ઉજવાશે

- text


મોરબી : મોરબીના વવાણીયામાં તા. 17મે ને બુધવારે માતૃશ્રી રામબાઈમાં મંદિરે ૧૮મા પાટોત્સવની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સવારે 9 કલાકે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જેના યજમાન તરીકે ફુગિયા મેહુલભાઈ ડાયાભાઈ રહેશે. તેમજ સવારે 9.30 કલાકે ધર્મસભા યોજાશે, જેમાં ભાયાસરથી વશિષ્ઠનાથ બાપુ તેમજ જુનાગઢના બલિયાવણના આઈશ્રી દેવલમાંની વિશેષ ઉપસ્થિતી રહેશે.

- text

18મા પાટોત્સવની ઉજવણીમાં બપોરના ૩ કલાકે દાંડીયા રાસનો કાર્યક્રમ યોજાશે. જેમાં વિજયભાઈ આહીર, ભુમીબેન આહીર, નીતાબેન કાપડી રાસની રમઝટ બોલાવશે. ત્યારપછી રાત્રીના 10 કલાકે ભજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભજનીક પરસોતમ પરીબાપુ ગૌસ્વામી, સાહીત્યકાર લાખણશીભાઈ ગઢવી તેમજ ભજનીક ભુમીબેન આહીર વિવિધ કૃતિઓ પ્રસ્તુત કરશે. વવાણીયા તેમજ આસપાસની જનતાને આ ધાર્મિક કાર્યક્રમનો લાભ લેવા માતૃશ્રી રામબાઈમાં મંદિર સંત પ્રભુદાસ બાપુ (99252 95093) તેમજ પ્રમુખ જસુભાઈ રાઠોડ ( 98240 66324) નિમંત્રણ પાઠવ્યું છે.

 

- text