કર્ણાટકના ચૂંટણી ઢંઢેરામાં બજરંગ દળ ઉપર પ્રતિબંધની જાહેરાતનો મોરબીમાં વિરોધ, પૂતળા દહન 

- text


કોંગ્રેસની ચૂંટણીલક્ષી જાહેરાત સામે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે આક્રોશ ઠાલવ્યો

મોરબી : કર્ણાટકના ચૂંટણી ઢંઢેરામાં બજરંગ દળ ઉપર પ્રતિબંધ મુકવા સામે મોરબીમાં બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિરોધદર્શક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં પૂતળા દહન કરી કોંગ્રેસના નેતાઓ સામે નારેબાજી પણ કરવામાં આવી હતી.

કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસી નેતાઓ દ્વારા એમના ચુંટણી ઢંઢેરામાં બજરંગ દળને પી.એફ.આઇ જેવા આંતકવાદી સંગઠન સાથે સરખાવ્યા હતા અને બજરંગદળ જેવા રાષ્ટ્રવાદી સંગઠન પર બેન લગાવાની વાત કરી હતી. આ ઘટનાના ઘેરા પડઘા પડ્યા છે.

મોરબીમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા મહારાણા પ્રતાપ સર્કલ ખાતે કોંગ્રેસ પાર્ટીના આ નિર્ણયના વિરોધમાં ચૂંટણી પ્રચાર કરનારાઓનું પૂતળા દહન કરવામાં આવ્યું હતું. સાથે આ નિર્ણયને વખોડી કાઢી નારેબાજી પણ કરવામાં આવી હતી.

 

- text

- text