માળિયાના રાસંગપર ગામે પ્રજ્ઞાચક્ષુ મતદારે ઉત્સાહભેર કર્યું વોટિંગ

- text


મોરબી : લોકસભાની ચૂંટણી અન્વયે મોરબી જિલ્લામાં મતદાન યોજાઇ રહ્યું છે ત્યારે માળીયા તાલુકાના રાસંગપરના પ્રજ્ઞાચક્ષુ મતદાર રાઘવજીભાઈ સનાળિયાએ પ્રજ્ઞાચક્ષુ હોવા છતા મતદાન કરી હર્ષની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ચૂંટણી માટે તેઓ હંમેશા તત્પર રહે છે અને આજ સુધી ક્યારે પણ તેઓ મતદાન કરવાનું ચૂક્યા નથી કારણકે લોકશાહી માટે તે ચૂંટણીનું મહત્વ સમજે છે. ઉપરાંત દરેક નાગરિકે અવશ્ય મતદાન કરવું જોઈએ તેવી ભારપૂર્વક વિનંતી પણ કરી હતી.

- text

- text