- text
વાંકાનેર : વાંકાનેર તાલુકાના ચિત્રાખડા ગામની સીમમાં વાડી વિસ્તારમાં રહેતા આશાબેન રામજીભાઈ ડાભી ઉ.14 નામની સગીરા પશુઓ માટે રજકો વાઢવા ગયા બાદ અગમ્ય કારણોસર ઘાસમા છાંટવાની ઝેરી દવા પી લઇ ઘરે આવતા ઊલટીઓ આવવાનું શરૂ થતાં પરિવારજનોએ મોરબીની ખાનગી હોસ્પિટલમા ખસેડતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
- text
- text