- text
મોરબી: મોરબીની મંગલમ હોસ્પિટલના ડોક્ટરો દ્વારા ઉમા વિદ્યા સંકુલના શિક્ષકોને CPRની પ્રેક્ટીકલ તાલીમ આપવામાં આવી હતી.
હાલ હાર્ટ એટેકના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે હાર્ટ એટેક આવનાર વ્યક્તિને કેમ બચાવો તે અંગે તમામ શિક્ષકોને CPR આપવા માટેની પ્રેક્ટીકલ તાલીમ મંગલમ હોસ્પિટલના ડોક્ટરો દ્વારા આપવામાં આવી હતી. મંગલમ હોસ્પિટલના ડો. દિપકભાઈ અઘારા તેમજ જયેશભાઈ અઘારા દ્વારા ખૂબ જ ઊંડાણપૂર્વકની માહિતી આપવામાં આવી હતી. આ તકે તાલીમ આપી ઉમા વિદ્યા સંકુલના શિક્ષકોને માહિતગાર કરવા બદલ સંસ્થાના પ્રમુખ અશ્વિનભાઈ અઘારા તેમજ સંચાલક હિતેશભાઈ સોરીયા દ્વારા બંને ડોક્ટરોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
- text
- text