હળવદમાં આજે મોગલ માતાજીનો નવરંગ માંડવો યોજાશે

- text


હળવદ : આજ રોજ તારીખ 29 એપ્રિલ ને શનિવારના રોજ હળવદના ધ્રાંગધ્રા દરવાજા અંદર આવેલા વજેરીવાસ ખાતે મોગલ માતાજીના નવરંગા માંડવાનું આયોજન કરાયું છે.

મોગલ માતાજીના ભુવા ફિરોજભાઈ તથા સંધિ પરિવાર દ્વારા આયોજિત મોગલ માતાજીના નવરંગા માંડવા પ્રસંગે આજે સાંજે 7 વાગ્યે બ્રાહ્મણની ભોજનશાળા ખાતે મહાપ્રસાદનું આયોજન કરાયું છે. જ્યારે રાત્રે 10 કલાકે ધ્રાંગધ્રા દરવાજાની બહાર ડાકની રમઝટ બોલશે. જેમાં રાવળદેવ હિતેશભાઈ (ગોંડલ) અને કલાકાર હમીરભાઈ ગઢવી (મુંબઈ) હાજર રહેશે.

- text

- text