રવિવારે લાયન્સ કલબ ઓફ મોરબી સિટી દ્વારા વિનામૂલ્યે ચકલીનાં માળા અને પાણીનાં કુંડા વિતરણ

- text


મોરબી: આવતીકાલ તારીખ 9 એપ્રિલ ને રવિવારે સવારે 9 થી 11 દરમિયાન મોરબીના શનાળા રોડ પરના શતેશ્વર મહાદેવ મંદિર ખાતે લાયન્સ કલબ ઓફ મોરબી સિટી દ્વારા વિનામૂલ્યે પક્ષીઓનાં માળા અને પાણીનાં કુંડા વિતરણ કરવામાં આવશે.

હાલ ઉનાળામાં ધોમ ધખતા તાપમાં પક્ષીઓને રહેવા માટે ચકલીના માળા અને પક્ષીઓની તૃષા સંતૃપ્ત કરવા પાણીનાં કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે. તો મોરબીની જનતાને આ પક્ષીઓનાં માળા અને પાણીનાં કુંડા પોતાના ઘરે લઈ જઈ આ સેવાકાર્યમાં સહભાગી બને તેવી લાયન્સ કલબ ઓફ મોરબી સિટી પરિવાર વતી અપીલ કરવામાં આવી છે.

- text

- text