મોરબીના બાદનપર ખાતે 9 એપ્રિલે રામામંડળ રમાશે

- text


મોરબી : મોરબીના બાદનપર આમરણ ખાતે આગામી તારીખ 9 એપ્રિલના રોજ રામામંડળ રમાડવાનું આયોજન કરવામાં આવ્યું છે. બાદનપર ગામે 9 એપ્રિલ ને રવિવારના રોજ રાત્રે 9-30 કલાકે સુપ્રસિદ્ધ બાલકૃષ્ણ રામામંડળ બાદનપર દ્વારા રામદેવજી મહારાજનું જીવન ચરિત્ર ભજવવામાં આવશે. તો આ રામામંડળ નિહાળવા સર્વેને જાહેર આમંત્રણ પાઠવાયું છે.

- text

- text