મોરબી સદભાવના વૃધ્ધાશ્રમમાં સત્સંગ સભા યોજાઈ

- text


મોરબી : મોરબીના સદભાવના વૃધ્ધાશ્રમમાં સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સંત કુટીર કબીર આશ્રમના મહંત કરસનદાસ બાપુ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વૃધ્ધાશ્રમના વડીલો સાથે જીવનના વિવિધ પાસામાં યુવા અવસ્થા, પૌઢાવસ્થા અને વૃધ્ધાશ્રમમાં જીવન કેવી રીતે સરળ બની રહે તે વિષય પર પોતાના વિચારો રજૂ કર્યા હતા. આ સભામાં લઘુ મહંત દિલીપદાસજી, વિઠ્ઠલદાસ તેમજ ચંદુભાઈ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા આશ્રમના સંચાલિકા સુષ્માબેન પટણીએ ભારે જહેમત ઉઠાવી હતી.

- text

 

- text