મૃત્યુ બાદ અમર ! મોરબીના આંખજા દંપતિનો દેહદાનનો સંકલ્પ 

- text


જયંતીભાઈ આંખજા અને રંજનબેન આંખજા બંને દંપતિએ મૃત્યુબાદ દેહદાન અને જીવન પર્યંત ઉમિયા માનવ મંદિરના ટ્રસ્ટી તરીકે નામ નોંધાવ્યું

મોરબી : મૃત્યુ બાદ પણ અમર થઇ શકાય તેવું પરોપકાર્ય એટલે દેહદાન, મોરબીના આંખજા દંપતિએ દેહદાનનો સંકલ્પ કરી ઉમિયા માનવ મંદિરના કાયમી ટ્રસ્ટી તરીકે નામ નોંધાવ્યું છે. સાથે જ જયંતીભાઈ આંખજા અને રંજનબેન આંખજા નામના દંપતિએ મૃત્યુબાદ દેહદાન અને જીવન પર્યંત ઉમિયા માનવ મંદિરના ટ્રસ્ટી તરીકે રહેવાનો સંકલ્પ કર્યો છે.

- text

મોરબીના લોકો અનેકવિધ સેવાકાર્યો, સેવાકીય પ્રવૃત્તિ માટે જાણીતા છે, લોકોની સુખાકારી માટે કંઈકને કંઈક અવનવું દાન કરતા હોય છે.ત્યારે મોરબીના જયંતીભાઈ જેરાજભાઈ આંખજા અને રંજનબેન જયંતિભાઈ આંખજા બંને દંપતિએ મૃત્યુબાદ પણ પોતાનું શરીર અન્ય લોકો માટે ઉપયોગી બંને, પોતાના અમૂલ્ય અંગો અન્ય લોકોને જીવનદાન આપી શકે, પોતાના ચક્ષુ દ્વારા કોઈના આંખોની રોશની બની શકે એવા શુભ હેતુ સાથે પતિ-પત્ની બંનેએ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દેહદાનનો સંકલ્પ કરી પ્રેરણાદાયી પહેલ કરેલ છે તેમજ મોરબીમાં નિરાધાર પાટીદાર પરિવાર માટે ચાલતા ઉમિયા માનવ સેવા ટ્રષ્ટમાં દર વર્ષે રૂપિયા 51000 એકાવન હજારનું દાન અર્પણ કરી કાયમી દાતા ટ્રસ્ટી તરીકે નામ નોંધાવી અને દેહદાનમાં નામ નોંધાવી સમાજ ઉપયોગી ઉત્તમ કાર્ય કરવા બદલ ઉમિયા માનવ સેવા ટ્રષ્ટના પ્રમુખ પોપટભાઈ કગથરા ઉપપ્રમુખ ગોપાલભાઈ ચારોલા તેમજ દિનેશભાઈ વડસોલાએ પતિ પત્ની બંનેને ઉમિયા માતાજીનો ખેસ પહેરાવી અભિવાદન કર્યું હતું.

- text