- text
માર્ચ એન્ડિંગને પગલે વાંકાનેર યાર્ડમાં 26 માર્ચથી 1 એપ્રિલ સુધી રજા
મોરબી : હળવદ માર્કેટીંગ યાર્ડમાં આવતીકાલે વરસાદની આગાહી હોવાથી કાલે ગુરુવારે હરરાજી બંધ કરવામાં આવી છે. જ્યારે વાંકાનેર માર્કેટ યાર્ડમાં માર્ચ એન્ડીગને લીધે 26 માર્ચથી 1 એપ્રિલ સુધી રજા જાહેર કરવામાં આવી છે.
વાંકાનેર માર્કેટીંગ યાર્ડમાં માર્ચ એન્ડીગને લીધે હિસાબ કિતાબ કરવાના હોવાથી તા.26 માર્ચે રવિવાર હોવાથી રજા અને તા.27 માર્ચથી 1 એપ્રિલ સુધી રજા જાહેર કરવામાં આવી છે. આ રજના દિવસોમાં ઉતારાય સદંતર બંધ રહેશે, વાંકાનેર યાર્ડ તા.2 એપ્રિલથી રાબેતા મુજબ ચાલુ થશે જેની ખેડૂતોને નોંધ લેવા જણાવ્યું છે. જ્યારે વરસાદની આગાહી અને બજાર ચોગાનની વ્યવસ્થાને ધ્યાને લઇને આવતીકાલે તા.23.03.2023ને ગુરુવારના રોજ હળવદ માર્કેટ યાર્ડમાં હરરાજીનું કામ કાજ સદંતર બંધ રહેશે.કોઈ પણ જણસીની આવક લેવામાં આવશે નહિ. બજાર વિસ્તારમાં ખરીદી કરીને યાર્ડમાં માલ લાવતા મિત્રોએ ખાસ ધ્યાને લેવું, આવક સદંતર બંધ રહેશે. તેમ હળવદ માર્કેટ યાર્ડ દ્વારા જણાવાયું છે.
- text
- text