ટંકારામાં લોહાણા સમાજ દ્વારા ડો.ચગના પરિવારને ન્યાય અપાવવાની માંગ સાથે આવેદન

- text


ટંકારા : વેરાવળના ડો.ચગના પરિવારને ન્યાય મળે તે માટે ટંકારા લોહાણા મહાજન દ્વારા મામલતદારને આવેદન પાઠવવામાં આવ્યું હતું.

વેરાવળમાં ડો. ચગ દ્વારા આત્મહત્યા કરવામાં આવી હતી. જેમાં તમામ જવાબદારો સામે આકરી કાર્યવાહી થાય તેવી માંગ સાથે ટંકારા લોહાણા મહાજન આગેવાનો દ્વારા ટંકારા મામલતદારને આવેદન અપાયું હતું. આ વેળાએ સૌરાષ્ટ્ર રઘુવંશી ક્રાંતિમંચના ઉપપ્રમુખ ભાવિન સેજપાલ, રઘુવંશી યુવક મંડળના પ્રમુખ અક્ષય કટારીયા, રઘુવંશી યુવક મંડળના ઉપપ્રમુખ પ્રસાદ સેજપાલ તેમજ રામધામ અગ્રણી રિતેશ કક્કડ ઉપસ્થિત રહ્યા હતા.

- text

- text