મોરબી : શોભેશ્વર મહાદેવ મંદિરે મહાશિવરાત્રિ મહોત્સવની ભવ્ય ઉજવણી થશે

- text


મોરબી : મોરબીના સામાકાંઠે આવેલા સુપ્રસિદ્ધ શોભેશ્વર મહાદેવ મંદિરે આવતીકાલે મહા શિવરાત્રિ મહોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવશે.

આવતીકાલે તારીખ 18 ફેબ્રુઆરીના રોજ મહા શિવરાત્રિ નિમિત્તે સ્વયંત્રુ શોભેશ્વર મહાદેવ મંદિરે સાંજે 7-30 કલાકે ઢોલ ત્રાસા અને અન્ય વાજીંત્રા સાથે મહાઆરતી થશે. આ ઉપરાંત રાત્રે 10 કલાકે, 12 કલાકે, 2 કલાકે રાત્રે અને 4 કલાકે રાત્રે ચાર પોરની આરતી થશે. બપોરે 12 કલાકે મહાપ્રસાદનું પણ આયોજન કરાયું છે. તો આ મહા શિવરાત્રિ મહોત્સવમાં પધારવા શોભેશ્વર મહાદેવ મંદિર ગ્રુપ દ્વારા સૌને જાહેર આમંત્રણ પાઠવાયું છે.

- text

- text