ટંકારાના નીકલંઠ મહાદેવ મંદિરે કાલે મહાશિવરાત્રીની ઉજવણી

- text


ટંકારા : ટંકારાના મધ્યે બિરાજતા નીકલંઠ મહાદેવ મંદિર (લક્ષ્મીનારાણ મંદિર) ખાતે આવતીકાલે 18 ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રિની ભવ્ય ઉજવણી કરવામાં આવશે.

મહાશિવરાત્રિ નિમિત્તે આવતીકાલે નીકલંઠ મહાદેવ મંદિરે બપોરે 12 કલાકે આરતી થશે. ત્યારબાદ ભક્તોને ભાંગનો પ્રસાદ આપવામાં આવશે. આ ઉપરાંત આખી રાત જાગરણ, ચાર પોરની આરતી તેમજ ધૂન-ભજનનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે. તો આ ઉજવણીમાં હાજરી આપવા મંદિરના મહંત નારણગીરી કલ્યાણગીરી ગોસ્વામી દ્વારા સૌને આમંત્રણ પાઠવાયું છે.

- text

- text