- text
મોરબી : મોરબીના રવાપર નદી ગામના સાહદેવસિંહ પ્રતાપસિંહ ઝાલા વર્ષ 1994માં 16 વર્ષની ઉંમરે ભારતીય લશ્કરી દળમાં જોડાઇને ઉત્તરોતર બઢતી મેળવી વર્ષ 2015માં જુનિયર કમિશન ઓફિસરનું પદ મેળવ્યું હતું. એટલું જ નહીં તેઓએ 2022માં સુબેદાર તરીકે માનભર્યું પ્રમોશન મેળવીને 28 વર્ષની દેશસેવા કરીને તાજેતરમાં નિવૃત્ત થયા હતા.
નીવૃત સુબેદાર સાહદેવસિંહ પ્રતાપસિંહ ઝાલાને તાજેતરમાં 26મી જાન્યુઆરી ગણતંત્ર દિવસ નિમિત્તે રાષ્ટ્રપતિ દ્વારા મંજૂર કરાયેલ આર્મી હેડક્વાર્ટર દિલ્હી દ્વારા ઓનેનરી સુબેદાર મેજર તરીકેના ખિતાબથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમને દેશ સેવા બાદ આટલું મોટું સન્માન મળતા આર્મી હેડક્વાર્ટર અને તેમના મિત્રો તેમજ પરિવારજનોમાં હરખની હેલી જોવા મળી છે અને તેઓએ આટલું મોટું સન્માન મેળવી દેશ અને પોતાના પરિવારનું ગૌરવ વધાર્યુ છે.
- text
- text